ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નિરાશાવાદી રાજકારણનું ઉત્થાન

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ખાસ કરીને ભારતીય રાજકારણના સંસ્થાકીય સંદર્ભમાં અમુક પ્રકારની નિરાશાવાદી વૃત્તિઓ વધી રહી છે એવું અવલોકન ભારે ચિંતા ઉપજાવે એવું છે. આ વૃત્તિઓ પ્રક્રિયાગત તેમજ ઠોસ સ્તરે પ્રગટ થઈ છે. પ્રક્રિયાગત સ્તરે, સુવ્યવસ્થિત કાર્યપદ્ધતિઓને છુટી કરવી અને તેનું ફીંડલું વાળી દેવું, જેમકે શપથ ગ્રહણ માટે વિચિત્ર સમયને પસંદ કરવો એ ચોક્કસપણે બંધારણીય ધોરણોનું ઉલ્લંઘન છે. નક્કર સ્તરે આ વૃત્તિઓ સ્પષ્ટ થાય છે. ખાસ કરીને સત્તાધારી પક્ષ અથવા સત્તામાં આવી શકે તેવા પક્ષમાં સમર્થનમાં વિધાનસભાની કેટલીક ચાલમાં આ સ્પષ્ટ થાય છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં જોવા મળેલા રાજકીય ઘટનાક્રમમાં આ વધુને વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આવી વૃત્તિઓથી આખરે દગો, વિશ્વાસઘાત અને ગુપ્તતાનું રાજકારણ ઉજાગર થાય છે. આમ, આ વૃત્તિઓ બંધારણીય ધોરણો ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે અને વિધાનસભાને નૈતિક મર્યાદાઓથી મુક્ત કરે છે. જુદા શબ્દોમાં કહીએ તો, વ્યક્તિગત ધારાસભ્યોને તેમના ઉપર બંધારણ દ્વારા લાદવામાં આવતા અને સમય સમય પર અદાલતો દ્વારા લાદવામાં આવતા નિયંત્રણો હળવા લાગે છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ચુકાદાના આ એક મુદ્દો છે.

એ સાચું છે કે ખંડિત જનાદેશ જેવી અસ્પષ્ટ રાજકીય પરિસ્થિતિઓ, રાજકીય પક્ષો અને વ્યક્તિગત નેતાઓના રાજકીય જીવનને સપડાવવા માટેની આવી વૃત્તિઓની પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. પરંતુ, તે પણ સાચું છે કે આવા પક્ષો અને નેતાઓ સત્તા જાળવી રાખવા માટેની જરૂરિયાતના ઉદ્દેશ્યને લઈને આવી વૃત્તિઓને સમર્થન આપે છે. મહારાષ્ટ્રમાં તાજેતરની રાજકીય ગતિવીધિઓમાં આ સ્થિતિ ફરી એકવાર બહાર આવી છે.

આ સંદર્ભમાં, વિષયલક્ષી સ્થિતિના તત્વમાં મહત્વનું પરિબળ નિરાશાવાદી રાજકારણને વેગ આપતું હોય તેવું લાગે છે. નિરાશાવાદી રાજકારણની સફળતા તેને અનુરૂપ વ્યક્તિગત અથવા ખાનગી હિતોના રક્ષણ માટે રાજકારણનો ઉપયોગ કરવાની તીવ્ર ઇચ્છા પર આધારિત છે. રાજકીય જીવનમાં, આવી પ્રબળ ઇચ્છા એ એક પ્રેરણાત્મક શક્તિઓની રચના કરે છે જે વ્યક્તિઓ, વ્યક્તિઓના જૂથો અને રાજકીય પક્ષોમાં પણ સક્રિયપણે મોજુદ હોય છે. આવા કિસ્સાઓમાં, વ્યક્તિગત હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રાથમિક બની જાય છે, જ્યારે નૈતિક ધોરણો માટેની પ્રતિબદ્ધતા ગૌણ બની જાય છે. પછી "વૈચારિક" સ્વ અથવા વ્યક્તિગત રુચિ સાથેની અખંડિતતા પ્રક્રિયાગત અને નક્કર એમ બંને સ્તરે સત્યનિષ્ઠા પર સવાર થાય છે.

રાજકારણના નિરાશાવાદી સ્વરૂપોમાં લોકશાહીના પારદર્શક અને ઇરાદાપૂર્વકની રીતનો ઉંડો તિરસ્કાર અને પ્રક્રિયાગત ધોરણોની અવગણના સમાયેલા છે. હકીકતમાં, રાજકીય હસ્તિઓ દ્વારા પારદર્શક રાજકીય વ્યવહારના તિરસ્કાર મૂળમાં તેના પોતાના દ્વારા નિર્ણય લેવાની અસમર્થતા રહેલી છે. આ જ વાતને સકારાત્મક રીતે કહીએ તો, પોતાની નૈતિકતાને પકડી રાખવાથી વ્યક્તિને શક્તિ મળે છે અને ખરાબ પરિણામો ધરાવતા દબાણનો સામનો કરવો પડે છે. જે કોઈની અનિષ્ટ રચનાના ઓબ્જેક્ટ તરીકે પોતાને રજુ કરવા દબાણ કરે તેવો લપસણો માર્ગ ટાળવાની જરૂર છે. આ લપસણા માર્ગ પર પગ મૂકવાનું ટાળીને કોઈ પણ વ્યક્તિ પોતાને ન્યાયી ઠરાવી શકે છે.

આ લપસણા માર્ગ તરફ દોરી જાય અને તેનું સર્જન કરે તેવા રાજકારણના ડિજનરેટિવ સ્વરૂપો પર કોઈ લોકશાહી કાર્ય કરી શકતી નથી. સરકારનું લોકશાહી સ્વરૂપ એ એટલા માટે આદર્શ નથી કે તે સમજવું અશક્ય છે, પરંતુ તે એટલા માટે આદર્શ છે કારણ કે શ્રેષ્ઠ રાજકીય આચરણ પેદા કરીને તેની ખૂબ ઓછી અનુભૂતિ મેળવી શકાય છે; આચરણ એટલે કે બંધારણીય ધારાધોરણ અનુસાર લોકોના પ્રતિનિધિઓ દ્વારા અનુસરાતી પ્રથા. ધારાસભ્યો અને રાજ્યના રાજ્યપાલ જેવા સંસ્થાકીય વડાઓ આ ધારાધોરણો અથવા આદર્શ ધોરણોનું પાલન કરે તેવું માનવામાં આવે છે જેથી શ્રેષ્ઠ રાજકીય આચરણ માટે જગ્યા બનાવવામાં આવે.

આજ દિન સુધી, ભારતીય રાજકારણ આશાવાદી સ્વરૂપો કરતાં સતત નિરાશાવાદમાં પોતાને વ્યક્ત કરતું રહ્યુ હોય એવું લાગે છે. નિરાશાવાદી વૃત્તિઓ લોકશાહીને શ્રેષ્ઠ સ્તરે ટકાવી રાખવામાં મદદ કરતા સંસ્થાકીય અવકાશના જોમને ઘટાડી નાખે છે.  મહત્તમ લોકશાહી એવા સ્થાનોના ઉપયોગને ઓપ્ટિમાઇઝ કરવા માંગે છે જે પારદર્શિતાને પ્રોત્સાહન આપે અને માનવામાં આવેલા ચુકાદા અને પ્રામાણિક વિચારણા દ્વારા લોકશાહીના અવકાશને સાબુત રાખવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે છે. આ સંદર્ભમાં, રાજકીય પક્ષોએ તેમના રાજકીય વ્યવહારને માર્ગદર્શિત અને નિયમિત કર્ તેવા આદર્શ ધોરણોને અનુસરવા આવશ્યક છે. આ અપેક્ષા એવા સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ બને છે કે જ્યાં રાજકીય વિવેચકો એવી પાર્ટી માટે વિલાપ કરતા જોવા મળે છે, જેમણે પૂર્વના અન્ય પક્ષની જેમ લપસણા માર્ગ પર પગ મૂક્યો છે. આવા નિરીક્ષણ સૂચવે છે કે રાજકીય પક્ષ પણ એટલો જ વિશ્વાસઘાતી અને દ્વેષપૂર્ણ બનવા તરફ ગતિ કરે છે. લોકો અપેક્ષા રાખે છે કે વ્યક્તિગત નેતાઓ અને રાજકીય પક્ષો બંને તેમના રાજકીય વ્યવહારમાં પારદર્શક અને શિષ્ટ રહે. તેઓ માને છે કે ફક્ત પોતાને જ નહીં, પણ લોકશાહીને જ બચાવવી જરૂરી છે.

Back to Top