ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ડિસક્લેમરની રાજનીતિ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઔપચારિક અને ખાસ કરીને ચૂંટણીના રાજકારણના ક્ષેત્રે સહભાગી પ્રવૃત્તિઓ ઉપર મોટે ભાગે બે વિરોધી પરિસ્થિતિઓ દ્વારા પ્રભુત્વ મેળવાય છે અને ટકાવી રાખવામાં આવે છે, જે મુલતઃ એકસમાન છે. પહેલી પરિસ્થિતિમાં મતદારો "સર્વવ્યાપી" એવો દાવો કરે છે કે તેઓ તેમના મતનો ઉપયોગ કરે છે, ઉદાહરણ તરીકે, વિકાસ, સુશાસન અને વાઇબ્રન્ટ રાષ્ટ્રવાદની તરફેણમાં. આમ, મતદારો આ અર્થમાં સૂચવે છે કે તેઓ ખાસ વ્યક્તિગત હિતોને બદલે આવા જનસામાન્યના હિતોમાં રસ ધરાવે છે. આમ પહેલા દાખલામાં ડિસ્ક્લેમર પરોક્ષ છે. જો કે, તે રાજકીય નેતાઓ કે જે જુદા જુદા સ્તરે ચૂંટણી લડતા હોય તેવા કિસ્સામાં ડિસ્ક્લેમર સામાન્ય રીતે વધારાના ભાર સાથે સીધું જ હોય ​​છે. રાજકીય આશાવાદીઓ ઘણી વખત એવા ડિસ્ક્લેમર સાથે તેમના જાહેર વ્યક્તિત્વને પ્રોજેક્ટ કરે છે કે તેઓ ચૂંટણી પોતાના વ્યક્તગત હિત માટે નહીં, પરંતુ જનસામાન્યના હિતોની રક્ષા માટે લડી રહ્યા છે. ચૂંટણીની સિઝન દરમિયાન, ઉમેદવારો અથવા તેમના સમર્થકો દ્વારા આ ડિસ્કલેમર ભારે વચનોની લહાણી સ્વરૂપે આવે છે જે આવા રાજકીય નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવે છે. અહી આપણે એક સવાલ એ ઉઠાવવો રહ્યો કે એવી કઈ ઇચ્છા છે જે ખાસ કરીને રાજકીય ઉમેદવારોને ચૂંટણી લડવા પ્રેરે છે? ચૂંટણીના રાજકારણ ઝંપલાવવાનો તેમનો નિર્ણય શેને આધારે લેવાય છે, સામૂહિક હિત કે સ્વાર્થના આધારે? આ સવાલનો જવાબ મોટાભાગે જનસામાન્યના હિતની તરફેણમાં નથી પણ મોટે ભાગે વ્યક્તિહત હિતની તરફેણમાં આવે છે.

ચૂંટણીલક્ષી રાજકારણનું ક્ષેત્ર અને ઔપચારિક રાજકીય તેમજ સંસ્થાકીય સત્તાની સાપેક્ષ કક્ષાએ ઘણાં રાજકીય નેતાઓને તેમના સ્વાર્થને રક્ષવા માટેની સવગડ કરી આપે છે, જે દૃશ્ય તેમજ અદ્દશ્ય બંને સ્તરે પ્રતિબિંબિત થાય છે. સૌથી દૃશ્ય સ્તરે, આવા નેતાઓની ભૌતિક સંપત્તિ દિન દુગુની ઔર રાત ચોગુની વધે છે. ચૂંટણીના રાજકારણ તરીકે ઓળખાતા એન્ટરપ્રાઇઝમાં સંસાધનોના બહુ રોકાણ વગર જ અસ્કયામતો અનેકગણી વધે છે એ નવાઈ પમાડે છે. મેરિટનો અભાવ સૂચવે છે કે, વ્યક્તિગત લાભ ખાટતો રહેવો એ નૈતિકતા સાથે સમાધાન કર્યા વિના શક્ય નથી અને નૈતિકતા મૂળભૂત રીતે વ્યક્તિગત મૂલ્ય સાથે સંકળાયેલી છે.

"રાજકીય સ્વ"ને ચૂંટણી કે ફોર્મલ રાજકારણમાં "સ્વ-પ્રેમ" કહી શકાય તે રીતે પ્રમોટ કરવાની તક રહેલી છે. ખાસ કરીને સમકાલીન સમયમાં આત્મ-પ્રેમ, કેટલાક અગ્રણી રાજકીય નેતાઓ માટે, એક સ્વ-સેવા કરવાનો જુસ્સો બની ગયો હોય તેવું લાગે છે. આવી ઘેલછા જાણવા માટેનું એક વર્ચ્યુઅલ માધ્યમ "સેલ્ફી" છે અને લખાણનું સ્વરૂપ ટ્વીટ છે. એવામાં આત્મ-રતિ સ્વ-મૂલ્યનો પર્યાય બની જાય છે. હકીકતમાં, આવા કિસ્સાઓમાં સ્વ-મૂલ્ય, પક્ષની ટિકિટની ફાળવણી, અથવા સંસ્થાકીય માળખામાં કેટલાક પ્રમાણમાં નાના હોદ્દા જેવા ટ્રાન્ઝિટરી લાભો વિતરિત કરવાની સત્તા ધરાવતા લોકો પાસેથી માન્યતા મેળવવા માટે નીકળી પડે છે. તે પછી વ્યક્તિગત મૂલ્ય અધિકારના બળથી નહીં પરંતુ સમર્થનની શક્તિથી માપવામાં આવે છે. ફોર્મલ રાજકારણમાં ભાગ લેવાની સ્વતંત્રતા તે અધિકારોની ભાષામાં બળનો ઉમેરો કરે છે, જ્યારે સમર્થનનું વિતરણ કરવાની સત્તા રાજકીય કુશળતાના આધારે ભાગ લેવાની સ્વાયતતાના સ્ત્રોત તરીકે અધિકારોને નબળી પાડે છે.

વિતરિત સંસ્થાઓના દરેક સ્તરે, "રાજકીય સ્વ" ની કિંમતનું મૂલ્યાંકન તે લોકો દ્વારા થાય છે જે સત્તાની સ્થિતિના વિતરણના વડા હોય છે. આમ એક નેતાનું મૂલ્ય મેરિટની ઉપર બિરાજતા સમર્થન, તરફેણ અથવા વિવેકબુદ્ધિની શક્તિને અનુરૂપ છે.

એ કહેવાની જરૂર નથી કે વ્યક્તિગત ક્ષમતાઓની દ્રષ્ટિએ સ્વાયત્તતાનો ઉપયોગ કરવાનો અધિકાર દર્શાવવાની ક્ષમતા સામાન્ય વ્યક્તિની નૈતિક લાયકાત સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામે નૈતિકની કક્ષામાં મૂલ્ય, રાજ્ય દ્વારા નિયમન કરાયેલ સરકારી ક્ષેત્રમાં નોકરીઓ, બજાર માટે ન્યુનત્તમ ટેકાના ભાવ જેવી પરિસ્થિતિઓમાં સક્રિય બને છે. દલીલપૂર્વક કહી શકાય કે, આ સંસ્થાઓએ એવો અવકાશ ઉભો કરવાનું બંધ કરી દીધી છે જ્યાં બેરોજગાર યુવાનો તેમજ મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતોને તેમની સામાજિક યોગ્યતા સાબિત કરવાની કોઈ તકો મેળવી શકે. અને તેમ છતાં, બેરોજગાર યુવાનો અને મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતો પુરતા લાયક છે. માનસિક સંતોષના આધારે એમ કહી શકાય કે બેરોજગાર યુવાનો અને ખેડુતો રાષ્ટ્રવાદના અમૂર્ત વિચારથી બાંધવામાં આવે છે. સ્વ-મૂલ્યની આ ક્ષણિક કલ્પના અહીં અસ્તિત્વ ટકાવી રાખવાની અસ્તિત્વની જરૂરિયાત અને થોડી સલામતી અને સામાજિક સુરક્ષાની સાથે જોડાયેલી છે. બીજી તરફ, રાજકારણીઓની એક ખાસ બ્રાન્ડ પોતાના સ્વાર્થને પોષવા અને ટકાવી રાખવા માટે રાષ્ટ્રવાદ જેવા મૂલ્યના અમૂર્ત ક્ષેત્રનું શોષણ કરે છે. જો કે, ડિસ્કલેમરમાં ખાસ કરીને સાર્વત્રિક હિતના વાઘા હેઠળ પોતાના સ્વાર્થને છુપાવવાનું રાજકીય મહાત્વાકાંક્ષી લોકોનું રાજકારણ ધ્યાન ખેંચે છે.

Back to Top